આઝાદી ની ચળવળ વખતે પણ આ ગામ અગ્રેસર હતું. ગામ ના ચાર સ્વતંત્ર સેનાનીઓનું સરકારે સન્માન પણ કર્યું છે. ગાયકવાડી રાજનું ગામ હોય બ્રિટીશ રાજ્યના ગામડાના સ્વાતંત્ર સેનાનીઓ માટે ગડત એક માત્ર આશ્રય સ્થાન હતું. બારડોલી સત્યાગ્રહ વખતે બ્રિટીશ સાશન હેઠળ ખડસુપા ગામના પાટીદાર ખેડૂતોએ તેમની માલ મીલ્કત ની હરાજી સમયે ગડત ગામે સામુહિક હિજરત કરી આશ્રય લીધો હતો. તમના મુશ્કેલ સમય માં ગડત ગામે આપેલા સહકારને તેઓ હમેશા યાદ કરે છે અને પોતાને ગડત ના વતની અને સ્વજન તરીકે ગૌરવભેર ઓળખાવે છે.