રામાયણયુગ માં આ વિસ્તાર “દંડકારણ્ય” ના નામેં ઓળખાતો હતો. આ દંડકારણ્ય વ્રુક્ષો થી આચાદિત હતું અને એમ કેહવાય છે કે અસલ ગર્ગાવતી નગરીના નામે જાણીતા આ ગામમાં જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા " ગર્ગ ઋષિ " નો આશ્રમ હતો તેથી “ગર્ગાવતી” ના નામે ઓળખાતું હતું. ભગવાન રામે જયારે અનાવલ નામ ના ગામે યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો ત્યારે ગર્ગ ઋષિ ને આમંત્રણ આપવા માટે શ્રી રામ સ્વયં અહી પધારેલા અને હાલ જે કામેશ્વર ને નામે ઓળખાય છે તે શંકર ભગવાન ના લિંગ ની તેમણે પ્રતિષ્ઠા કર હતી. અનેક વડલાઓ અને વડવાઈઓ થી આચ્છાદિત અને નયનરમ્ય વિશાળ તળાવથી સુશોભિત આ સ્થળે આવેલા કામેશ્વર મંદિર ની બાજુમાં પવિત્ર અને અલૌકિક નવગ્રહ નું મંદિર પણ છે. એક માહિતી મુજબ ભારત માં માત્ર આવા પ્રકાર ના નવગ્રહ ફક્ત બેજ જગ્યાએ મળી આવ્યા, જેમના એક કાશીમાં અને બીજા અહી ગડત ગામમાં છે. દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન હજારો ની સંખ્યા માં શિવ ભક્તો કામેશ્વર ના મંદિરે આવે છે. ગડત ગામના પાદરે આવેલું પૂર્ણેશ્વર મહાદેવ નું મંદિર અને પ્રજાપતિ વાસ નજીક આવેલું અગનદેવી માતાનું મંદિર પણ પૌરાણિક છે. એમ પણ કેહવાય છે કે, મીનલદેવી અનાવલ જતી વખતે અંબિકા કાંઠે મુકામ કર્યો હતો. અને હાલ દિલીપભાઈ છગનલાલ નાયક ના વાળા માં છે તે ખોડીયાર માતાના મંદિર ની સ્થાપના કરી હતી.