શ્વેતક્રાંતિ ના પ્રણેતા સ્વ. પૂ. મણીભાઈ દેસાઈ (ઉરૂલીવાળા) ના માર્ગ દર્શન હેઠળ ગામ માં Jersey તથા Holstein ગાયો નો ઉછેર કરાયો હતો. પ્રથમ વાર જયારે ભારતીય કાંકરેજી ગાયને Holstein Bull આવ્યું તે વખતે આખા ગામ માટે એ ઘટના કુતુહલરૂપ બની. આખું ગામ એ ઘટનાને માંણવા માટે દોડી આવ્યું હતું ત્યારે બધાને મુખ પર એકજ વાત હતી : "એ આતો.. ગાય પાડો વાયી... " અને આ રીતે શ્વેતક્રાંતિ નો ગડત ગામ માં પાયો નાખ્યો હતો. જયારે દુષ મંડળી નું સ્થાપન થયું તે વખતે શ્રી રાજેન્દ્ર મગનલાલ નાયક અને ઈશ્વરભાઈ મગનલાલ નાયક એ બે વ્યક્તિઓ એ એ શ્રેષ્ઠ તક નું બીડું ઝડપી ને ગામના પ્રત્યેક ખેડૂતો ને ઘરેઘર મળીને ખેડૂતોને સમજાવી એમનો સહકાર પ્રાપ્ત કરીને જે મંડળીની શરૂઆત થયી હતી તેના ફળરૂપે આજે સહકારી મંડળી માં પ્રતિ વર્ષે ગામના લોકો આશરે ૭-૮ લાખ થી વધુ ની આવક ધરાવે છે તથા ગામના લોકો ને વ્યાજબી ભાવે દૂધ મળે છે. ૨૬ વર્ષ સુધી શ્રી રાજેન્દ્ર મગનલાલ નાયક અને ઈશ્વરભાઈ મગનલાલ નાયક એ બે વ્યક્તિઓ અનુક્રમે પ્રમુખ અને મંત્રી તરીકે ની અવિરત સેવા બજાવી જે એક વિશેષ ઘટના ગણાવી શકાય.