આ ગામ માં વનરાજ ચાવડાએ તથા સુરત ની લૂટ દરમ્યાન શિવાજીએ પ્રસ્થાન કર્યું હોવાનું કેહવાય છે. જુના ગાયકવાડી રાજ્યના આ ગામ માં તારીખ ૧-૧-૧૯૧૬ ના રોજ મહાત્મા ગાંધીજી તેમના દક્ષિણ આફ્રિકા ના સાથી પ્રાગજી દેસાઈ ના ઘરે પધાર્યા હતા ત્યારે ગડત હાલ બિમલભાઈ મુકુંદભાઈ મેહતા ની હવેલી છે ત્યાં રોકાઈ ને અંબિકા નદી પાર કરીને સાલેજ ગામે ગયા હતા. યોગાનુયોગ તેજ દિવસે મહાદેવ ભાઈ દેસાઈનો જન્મદિવસ હોવાથી સાલેજ ગામે ઉજવણી પણ કરાઈ હતી. ઈ. સ. ૧૯૧૫ ની આસપાસ આર્યસમાજની પ્રવૃતિઓ પણ થયી હતી. આ પ્રવૃત્તિ ને કારણે આર્ય સમાજી કુટુંબો માં છોકરી ને શિક્ષણની પ્રવૃત્તિનો આરંભ થયો. એટલુંજ નહિ, સુધારક મેહતા કુટુંબે તેમની દીકરીઓને ભણવા માટે ગુરુકુળ પણ મોકલી હતી.