આ ગામમાં શેરડીની ખેતી ની સિંચાય માટે શ્રીમાન સયાજીરાવ ગાયકવાડે ઈ. સ. ૧૯૩૮ માં લીફ્ટ ઈરીગેશન ની યોજના કરી હતી જે આજ દિન સુધી કાર્ય રાત છે. આ સિંચાય ની યોજના ગડત ગામના આથિક વિકાસની "ધોરી નસ" છે અને માણેકપુર, ખખવાડા, પાથરી અને ગડત ને સુજલામ સુફલામ બનાવ્યું છે. છપ્પનીયા દુકાળ (વિક્રમ સંવત ૧૯૫૬) વખતે સમગ્ર વિભાગની આ દુઘાદીયાએ તરસ છીપાવી હતી.